ઉત્તર પ્રદેશગુજરાતગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝદેશભરૂચયુપી

ભરૂચ સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન : 10 ઓગસ્ટે યોજાશે ભક્તિમય યાત્રા

આગામી 10 ઓગસ્ટ 2025ના રોજ ભરૂચ જિલ્લામાં ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના – ગુજરાત દ્વારા યોજાઈ રહી છે.

યાત્રાની શરૂઆત ભરૂચના પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થશે અને ત્યારબાદ કાવડયાત્રીઓ કાવી કંબોઈના શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર પહોંચશે, જ્યાં પાવન નર્મદા જળથી મહાદેવજીને અભિષેક કરાશે.

આ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગંગોત્રી હોટેલ, ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં હિન્દુ ધર્મ સેના ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસિયા અધ્યક્ષપદે ઉપસ્થિત રહ્યા હતા.

યાત્રામાં 108થી વધુ કાવડયાત્રીઓ ભાગ લેશે, જ્યારે 25 સ્વયંસેવકોની ટીમ યાત્રામાર્ગ પર સેવાકાર્ય માટે તૈનાત રહેશે, જેથી ભક્તોને કોઈ અડચણ ન પડે.

યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક આનંદ, સંસ્કૃતિ સાથે જોડાણ, તથા શાંતિ, એકતા અને ભક્તિભાવનો સંદેશ પ્રસારિત કરવો છે.

આ પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેનાનાં અગ્રણીઓ સુંધીરસિંહ અટોદરિયા, પ્રયાગરાજ વાસિયા, જીના ભરવાડ, વિરલ ગોહિલ, જીતુ રાણા, અને રાહુલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!