ગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝદેશભરૂચ

અંકલેશ્વર : પરિવાર હોટલ પાછળ લાગેલી આગનો ધૂમાડો હજી યથાવત

અંકલેશ્વર-પાનોલી હાઇવે પર પ્રદૂષણનો ખતરો..

અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આવેલી પરિવાર હોટલના પાછળના ભાગમાં લાગેલી આગનું જોખમ હજી પણ યથાવત છે. આગના કારણે સતત ઉઠતા ધુમાડાના ગાઢ વલયો હાઇવે પરથી પસાર થતા લોકો આજુબાજુ ના વિસ્તાર ના લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે, જેનાથી શ્વાસલેનાની તકલીફ સહિત આરોગ્યને નુકસાન પહોંચવાની શક્યતા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ કેમિકલ માફિયા દ્વારા ગેરકાયદેસર રાસાયણિક ડમ્પિંગને કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે. આવા ઝેરી કેમિકલ કચરાના નિકાલથી ન માત્ર પર્યાવરણ દૂષિત થાય છે પણ આસપાસના વિસ્તારના લોકોના આરોગ્ય માટે પણ ગંભીર ખતરો ઊભો થાય છે. સ્થાનિક નાગરિકોએ આ ઘટનાને લઇ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવ્યા છે અને તાત્કાલિક સ્થળ તપાસ અને કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.

તંત્ર માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરીયાત

➡ પ્રશાસન અને ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળની તાત્કાલિક મુલાકાત લઇ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે પગલાં ભરવા.

➡ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા સ્થળ પર તપાસ કરીને કેમિકલ ડમ્પિંગ અને હાનિકારક વાયુઓના પ્રસારને રોકવા પગલાં લેવા.

➡ આગ લાગવાના કારણોનું નિદાન કરી જવાબદાર તત્વો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવી.

➡ આસપાસના નાગરિકોના આરોગ્ય સુરક્ષા માટે તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવી.

પ્રશ્ન એ ઉઠે છે કે તંત્ર અને અધિકારીઓ કેમ હજુ સુધી ઊંઘમાં છે ?

પ્રદૂષણ અને કેમિકલ ડમ્પિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે તંત્ર ક્યારે જાગશે ? જો તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો આ અગ્નિકાંડ આસપાસના વિસ્તારમાં ગંભીર પરિણામો પેદા કરી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!