ગુજરાતગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝભરૂચ

ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને લુપીન લેબોરેટરીઝ લિમિટેડ કંપનીએ સંયુક્ત રીતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ભરૂચ: અંકલેશ્વરમાં માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને લુપીન લેબોરેટરીઝ લિમિટેડ કંપનીએ સંયુક્ત રીતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મહાવીર ટર્નિંગ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પોલીસના પી.આઈ. બી.એલ. મહેરિયા અને પી.એસ.આઈ. જે.પી. પારેખની સાથે લુપીન લેબોરેટરીઝના એડમિનિસ્ટ્રેશન હેડ ચેતનસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. કર્મચારીઓએ વિવિધ સૂત્રો લખેલા બેનર સાથે રસ્તા પર ઊભા રહીને વાહનચાલકોને ટ્રાફિકના નિયમોની સમજ આપી હતી.

રાજ્યભરમાં ચાલી રહેલા માર્ગ સલામતી માસ અને પરવાહ કાર્યક્રમ અંતર્ગત આ જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે લુપીન કંપની દ્વારા વાહનચાલકોને ટોપીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધશે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!